* ગામનો નકશો *
=> ભૌગોલિક સ્થાન : -
જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાનું રૂદલપુર ગામ માંગરોળથી કેશોદ હાઇવે તરફ ૭ કિમી દુર આવેલું છે.
=> " રૂદલપુર "નામ કેમ ? :-
આ ગામમાં આવેલા રૂદાઈ માતાના પૌરાણિક સ્થાન પરથી આ ગામનું નામ રૂદલપુર પડ્યું છે.
આ ગામમાં પ્રથમ ચારણ લોકો રહેતા આવ્યા તેથી આ ગામ ચારાણોનો ટીંબો ગણાય છે.ત્યારબાદ રબારી (ભરવાડ), ગરાસીયા રાજપૂત અને વણકરોની વસાહત ઉભી થઇ.
=> ઐતિહાસિક સ્થળોની વાર્તા :-
૧. રૂદાઈ માતાનું મંદિર :-
લોક વાયકા મુજબ રૂદાઈ માતા સહીત સાત બહેનો અને માલદેભાઈ નામે એક ભાઈનો પરિવાર હતો. સાતેય બહેનો જુદા-જુદા ગામે સાસરે ગયેલ. તેમાં રૂદાઈ માતા રૂદલપુર હતા. તે દરમિયાન તેનો ૧૫ વર્ષનો ભાઈ અકસ્માતે કુવામાં પડી જતા રૂદાઈ માતાએ પણ કુવામાં ઝંપલાવ્યું હતું. આ વાત સંભાળીને તેમની છ એ બહેનો પણ જે-તે ગામના કુવામાં પડી ગયેલ. હાલ જે-તે ગામોમાં તેના સ્થાનકો આવેલા છે.
૨. પૌરાણિક વાવ :-
તેમાં ૫૫ પગથીયા છે. જેમાં નાગદાદાનું મંદિર છે. આ વાવના પાણીનો ઉપયોગ થાય છે.
૩. પાળિયા :-
દરબાર ગઢમાં દાખલ થતા જ પાળિયા આવેલા છે.